મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના (Corona Virus)નો કહેર વધતો જ જાય છે. વધુ એક કેબિનેટ મંત્રી કોરોના પોઝિટિવ આવ્યાં હોવાની વાત સામે આવી છે. મંત્રીના પાંચ અંગત કર્મચારીઓમાં પણ સંક્રમણની પુષ્ટિ થઈ છે. મળતી માહિતી મુજબ મંત્રી અને તેમના કર્મચારીઓને હાલ આઈસોલેશનમાં રખાયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાની ઝપેટમાં આવનારા કેબિનેટ મંત્રીઓની સંખ્યા વધીને 3 થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CM ઉદ્ધવ ઠાકરેની ચેતવણી, નિયમોનું પાલન નહીં કરો તો ફરીથી લાગુ થઈ શકે છે Lockdown


આ બાજુ સતત વધતા કેસને જોતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરીથી લોકડાઉન લગાવવાના સંકેત પણ આપી દીધા છે. તેમનું કહેવું છે કે રાજ્ય સરકાર સ્થિતિનું અનુમાન લગાવી રહી છે. જો એવું લાગ્યું કે છૂટ આપવી એ ઘાતક નીવડી શકે છે તો આવી સ્થિતિમાં અમારે ફરીથી એકવાર લોકડાઉન લાગુ કરવું પડશે. 


મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ચેતવણી આપી છે કે જો નિયમોનું પાલન ન કરવામાં આવ્યું તો ફરીથી લોકડાઉન લાગુ થઈ શકે છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી. આવામાં જો ભીડ ભેગી થતી રહી તો લોકડાઉન હજુ પણ આગળ લંબાવાઈ શકે છે. ઢીલ આપવામાં આવી છે તો તેને બરબાદ ન કરો. 


કોરોના વાયરસ: એક જ દિવસમાં સ્પેન, યૂકેથી આગળ નિકળી જઇ વિશ્વમાં ચોથા ક્રમે પહોચ્યું ભારત


મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રની જનતા સહકાર્ય કરનારી છે. જનતા સરકારની વાતો પર અમલ કરી રહી છે. કારણ કે તેમને ખબર છે કે સરકારે જે કરે છે તે તેમા તેમનું હિત છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube